Gyan Sadhana Scholarship Yojana 2023 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીને મળશે 25000 સ્કોલરશીપ

ધોરણ ૧ થી ૮ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોઈ તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જુથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫% ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાથીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા

ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાથીઓને પસંદ કરી તેમને ધોરણ ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મૂજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દરવર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023

યોજના નુ નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
વિભાગનું નામ શિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ સહાયધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો11-5-2023 થી
26-5-2023
પરીક્ષા તારીખ11-6-2023
સતાવાર વેબસાઇટwww.sebexam.org
પસંદગી પ્રક્રિયાપરીક્ષા દ્વારા

આ યોજના અંતર્ગત કેટલી સહાય મળશે?

ધોરણ 9 થી 10 મા વાર્ષિકરૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિકરૂ.25000

પાત્રતા

  • જો કોઈ વિદ્યાર્થીએ 8મું ધોરણ પાસ કર્યું હોય અને સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોય, તો તેઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે.
  • મેં RTE પ્રવેશ યોજના દ્વારા પ્રવેશ મેળવ્યો અને મારું 8મા ધોરણ સુધીનું શિક્ષણ ખાનગી શાળામાં પૂર્ણ કર્યું.

પરીક્ષા ફી

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ફક્ત જ્ઞાન સાધના એપ્ટિટ્યુડ ટેસ્ટ પાસ કરવાનો રહેશે. જેના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની જરૂર રહેતી નથી.

સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાશે

આ સ્કોલરશીપ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીને આધારે ચૂકવવામાં આવશે. ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય, અથવા તો શાળાનું શિક્ષણ છોડી દે, તેમજ વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાંઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટી નીચેની વિગતે યોજવામાં આવશે.

આ કસોટી માટેના આવેદનપત્રો www.sebexam org વેબસાઇટ પર તા.૧૧/૦૫/૨૦૨૩ (બપોરે ૦૩:૦૦ કલાક) થી તા.ર૬/૦૫/૨૦૨૩ (રાત્રીના ૧૨:૦૦ કલાક) દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

જ્ઞાન સાધના પ્રખરતા કસોટીનો કાર્યક્રમ

ક્રમવિગતતારીખ / સમયગાળો
જાહેરનામું બહાર પાડવાની તારીખ૧૦-૦૫-૨૦૨૩
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ૧૧-૦૫-૨૦૨૩
વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો૧૧-૦૫-૨૦૨૩ (બપોરે ૦૩.૦૦ કલાક) થી ૨૬-૦૫-૨૦૨૩ (રાત્રીના ૧૨.૦૦ કલાક)
પરીક્ષા ફીનિઃશુલ્ક
પરીક્ષાની તારીખ૧૧-૦૬-૨૦૨૩

પરીક્ષાનું માળખુ

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે પાત્ર વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. પરીક્ષણ નીચે દર્શાવેલ ફોર્મેટને અનુસરશે.

  • પરીક્ષા પૂર્ણ કરવા માટે, તમારી પાસે 150 મિનિટનો સમય હશે અને પ્રશ્નપત્ર કુલ 120 ગુણનું રહેશે.
  • આ પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પ્રશ્નપત્રો ઉપલબ્ધ હશે.
  • વિદ્યાર્થીઓ દ્વારા તેમની પસંદગીના સંચાર પદ્ધતિ પર ગુજરાતી અથવા અંગ્રેજીમાં પરીક્ષા આપવાનો પ્રયાસ કરી શકાય છે.
કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080

આવક મર્યાદા

  • ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 1,20,000
  • શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 1,50,000

ઓનલાઈન અરજી કરવાની રીત:

  • સૌ પ્રથામ http://www.sebexam.org પર જવું
  • એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું.
  • અપ્લાય નાઉ પર ક્લિક કરવાથી એપ્લીકેશન ફોરમેટ દેખાશે. એપ્લીકેશન ફોરમેટમાં સૌપ્રથમ આધાર નંબર નાખવાનો રહેશે. જેથી વિગતો ઓટોમેટીક દેખાશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. લાલ ફુંદડીની નિશાની જ્યાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.
  • કન્ફર્મ એપ્લીકેશન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે. ત્યારબાદ કન્ફર્મ નંબર જનરેટ થશે. જે સાચવવાનો રહેશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.
  • વિદ્યાથી વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી પ્રમાણપત્રો પૈકી વિદ્યાથીને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશ સમયે રજૂ કરવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટીફિકેશ વાંચવા અહિ ક્લિક કરો.
ઓફિશિયલ જાહેરનામુ અને ઠરાવ વાંચવાઅહિ ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહિ ક્લિક કરો
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

વિદ્યાર્થીઓ માટે ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો૧૧/૦૫/૨૦૨૩ થી ૨૬/૦૫/૨૦૨૩
પરીક્ષા ફી નિઃશુલ્ક
પરીક્ષાની તારીખ૧૧/૦૬/૨૦૨૩

Leave a Comment